Thursday, February 27, 2014

ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત ચોથું પ્લાઝમા શું છે ?



પાણી પ્રવાહી છે. તેનું ઘન સ્વરૃપ બરફ અને વાયુ સ્વરૃપ વરાળ છે. દરેક પદાર્થ આ ત્રણ સ્વરૃપોમાંથી એક હોય છે. પરંતુ વિજ્ઞાનીઓએ પદાર્થનું ચોથું સ્વરૃપ પ્લાઝમા શોધી કાઢયું છે. ખરેખર તો બનાવ્યું છે. કેમ કે કુદરતી રીતે પ્લાઝમા સ્વરૃપ જોવા મળતું નથી. તમને પદાર્થનું પ્લાઝમા રોજ જોવા મળે છે પણ આપણને તેની ઓળખ નથી. બજારમાં ઝળહળતી નિઓન ટયુબ લાઇટમાં પ્લાઝમા ભરેલું હોય છે. પદાર્થને સતત ઊચા તાપમાને ગરમ રાખીએ તો પ્લાઝમા સ્વરૃપ મળે. પ્લાઝમા બનવાની અણુપ્રક્રિયા જટિલ છે. પરંતુ પાણીને ગરમ કરીએ તો વરાળ બને. વરાળને ય વધુ ગરમ કરીએ તો પ્લાઝમા બને પણ આ વધુ ગરમ એટલે હદ બહારની ગરમી. સૂર્ય અને મોટા તારાઓમાં પ્રચંડ તાપમાનને કારણે પ્લાઝમા હોય છે. વિજ્ઞાાનીઓએ વાયુઓમાં ઇલેકટ્રોન પસાર કરીને પ્લાઝમા સ્વરૃપ મેળવવાની રીત શોધી કાઢી છે. આ પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. જે ઇલેકટ્રોમેગ્નેટિક મોજા સ્વરૃપે પ્રકાશ પેદા કરે છે. પ્લાઝમા અંગે ઘણાં સંશોધનો થાય છે અને તેના અનેક ઉપયોગો પણ છે.

No comments:

Post a Comment