Thursday, February 27, 2014

મેરા ભારત મહાન

આજનું વિજ્ઞાન મોટેભાગે ગણિતના સિધ્ધાંતો પર આધારિત છે. ગણિત વિના વિજ્ઞાાન અધૂરું છે. આજે  વિશ્વભરના વિજ્ઞાાનીઓ જે ગણિતનો ઉપયોગ કરે છે તેના મૂળ પ્રાચીન ભારતમાં છે.
ભારતમાં પાંચમી સદીમાં થઈ ગયેલા ઋષિ આર્યભટ્ટે શૂન્યની શોધ કરેલી. તેમના આર્યભટ્ટિયમ સિધ્ધાંતો રજુ કરેલા. પાઈનું સાચું મૂલ્ય પણ આર્યભટ્ટે સૂચવેલું.
ભાસ્કારાચાર્ય પણ ભારતમાં થઈ ગયેલા ગણિતશાસ્ત્રી હતા. તેમના સિધ્ધાંત શિરોમણી ગ્રંથમાં ગણિત અને ખગોળ શાસ્ત્રના ઘણા સિધ્ધાંતો છે જેનો આજે પણ ઉપયોગ થાય છે. તેઓ બીજગણિત, ભૂમિતિ અને અંકગણિતના જ્ઞાાતા હતા. પૃથ્વીના ધ્રુવ પ્રદેશોમાં ૬ મહિનાના રાતદિવસ હોય છે. તેવું તેમણે પ્રથમ વાર કહેલું. પૃથ્વીના પરિઘ વિશેની ભાસ્કરાચાર્યની કલ્પના આજના અધુનિક ખગોળશાસ્ત્રની તદ્દન નજીક હતી. પૃથ્વીના આકર્ષણથી વસ્તુઓ જમીન પર પડે છે અને એ જ આકર્ષણ શક્તિથી ચંદ્ર અને નક્ષત્રો આકાશમાં ટકી રહ્યા છે તેવું તેમણે ૧૧મી સદીમાં કહેલું.
દશાંશ પધ્ધતિની શોધ ભારતમાં થયેલી, પ્રાચીન ભારતના ઋષિ બ્રહ્મગુપ્તે રચેલા બ્રહ્મ સ્પૂટ સિધ્ધાંતમાં વર્ણવેલી દશાંશ પધ્ધતિ આરબ દેશોમાં ગઈ અને ત્યાંથી પશ્ચિમી દેશોએ અપનાવી. તે અગાઉ પશ્ચિમના દેશોમાં રોમન આંકડા  ઉપયોગમાં લેવાતા.

No comments:

Post a Comment