Thursday, February 27, 2014

બેરોમીટર વિષે જાણો

હવામાનની ચોકસાઈપૂર્વક આગાહી કરવા માટે ઉષ્ણતામાન, હવામાંનો ભેજ, પવનની ગતિ, હવાનું દબાણ વગેરે અનેક પરિબળોનું માપ લેવું પડે છે.     
તેમાં હવાનું દબાણ માપવા માટે બેરોમીટર નામનું સાધન વપરાય છે.
હવા ચારેતરફથી દબાણ કરતી હોય છે. પ્રવાહી તરલ હોય છે. તરલ એટલે વહી શકે તેવું. કોઈ પાત્રમાં ભરેલા પાણીમાં નળીનો એક છેડો ડૂબેલો રાખી બીજે છેડેથી હવા ખેંચી નળીમાં શૂન્યાવકાશ કરવામાં આવે તો પાત્રમાંનું પ્રવાહી હવાના દબાણના કારણે નળીમાં ચઢે છે. કૂવામાંથી પંપ દ્વારા પાણી આ સિધ્ધાંતથી જ ખેંચાય છે. આપણે સ્ટ્રો વડે ઠંડાં પીણાં પી શકીએ છીએ તેનું કારણ પણ હવાનું દબાણ છે.
બેરોમીટરની શોધ ચારસો વર્ષ પહેલાં ઈવાન્ગેલીસ્ટા ટોરીસેલી નામના વિજ્ઞાાનીએ કરેલી. તે ગેલીલિયોનો શિષ્ય હતો. ઈ.સ. ૧૬૪૩માં તેણે પાણીને બદલે વજનદાર પ્રવાહી પારો  ભરીને તેમાં નળી ગોઠવી હવાનું દબાણ માપતું સાદુ યંત્ર બનાવેલું. આજે પણ હવાનું દબાણ માપવા માટે બેરોમીટર વપરાય છે અને તેમાં પારાનો ઉપયોગ થાય છે. જોકે આધુનિક બેરોમીટરમાં ઈલેક્ટ્રોનિકનો ઉપયોગ કરીને હવાના દબાણના આંકડા સ્ક્રીન ઉપર જોઈ શકાય તેવી સુવિધા હોય છે.

No comments:

Post a Comment