Thursday, February 27, 2014

પાણી વિશે આ પણ જાણો

* પૃથ્વીની ૭૦ ટકા સપાટી પર પાણી છે છતાંય સમગ્ર પૃથ્વી ઔપરના પાણીનો જથ્થો પૃથ્વીના કુલ દળના ૦.૦૨૫ ટકા જ થાય છે.

* કોઇ પણ ક્ષાર વિનાનું સંપૂર્ણ શુધ્ધ પાણી પી શકાતું નથી. આ પાણી જીભ ઉપરથી ક્ષાર અને ખનિજોને શોષી લે છે અને ગળું સુકાય છે. પીવા માટેના પાણીમાં ક્ષાર જરૃરી છે.

* આપણા ઘણા ખોરાકમાં પુષ્કળ પાણી હોય છે. જેમ કે દૂધમાં ૯૦ ટકા, કાકડીમાં ૯૫ ટકા, ટામેટામાં ૯૫ ટકા અને બટાટામાં ૭૫ ટકા પાણી હોય છે.

* પૃથ્વીના સમુદ્રોમાંથી દર કલાકે ૫૦ ઘન કિલોમીટર પાણીનું બાષ્પીભવન થઇ હવામાં વરાળ સ્વરૃપે ભળે છે.

* એક એકરમાં આવેલા લીલાં વૃક્ષોના પાનમાંથી પાણીની વરાળ બની દરરોજ એક સામાન્ય સ્વીમિંગ પુલ ભરાય એટલું પાણી વાતાવરણમાં ફેલાવે છે.

* માઇક્રોવેવમાં ખોરાક તેમાં રહેલા પાણીને કારણે જ રંધાય છે. તેમાં મૂકેલા બટેટામાં રહેલા પાણીના અણુઓ એક સેકન્ડમાં અબજો વખત ઘૂમે  છે એટલે જ તે ગરમ થાય છે.

No comments:

Post a Comment