Thursday, February 27, 2014

હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું પાણી આગને કેમ ઠારે છે ?

હાઇડ્રોજન તરત સળગી ઊઠે તેવો વાયુ છે અને ઓક્સિજન દહનમાં મદદરૃપ થતો વાયુ છે. બંને વાયુઓ આગ વધારવાનું કામ કરે છે. છતાંય બંનેના સંયોજનથી બનેલું પાણી આગને ઓલવી નાખે છે. તે જાણીને થોડી નવાઇ લાગે. પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનનું બનેલું છે. એ વાત સાચી પરંતુ પાણી બનવું એ રાસાયણીક પ્રક્રિયા છે અને રાસાયણિક પ્રક્રિયામાં સંયોજન થતાં બે તત્ત્વો પોતાના ગુણધર્મનો ત્યાગ  કરે છે અને નવા ગુણધર્મોવાળું રસાયણ બને છે. આમ પાણીમાંનો હાઇડ્રોજન જ્વલનશીલ નથી. હવે પાણી આગને કેમ ઓલવે છે તે જાણો છો ? આગ ઉપર પાણી કોઇ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી પરંતુ સળગતી વસ્તુ ઉપર પાણી રેડાય ત્યારે પ્રથમ તો પાણીનું બાષ્પીભવન થઇ ગરમી ઓછી થાય છે અને સળગતી વસ્તુ વધુ સળગતી નથી. બીજું કે પાણી પડવાથી આગને આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન ભળતો રોકાય છે અને જ્વાળાઓ શાંત પડી જાય આમ પાણીથી આગ બુઝાય છે. આગ બુઝાવવા માટે પાણી છાંટવું એ શ્રેષ્ઠ ઉપાય મનાય છે.

No comments:

Post a Comment