Thursday, February 27, 2014

વૃક્ષોની અવનવી વાતો

* વૃક્ષો માત્ર ફળ અને ફૂલ જ આપે તેવું નથી. કોઇપણ વૃક્ષ એક વર્ષમાં ૧૨૦ કિલોગ્રામ ઓક્સિજન પેદા કરી વાતાવરણમાં આપે છે.
* વૃક્ષોમા મૂળ જમીનનું ધોવાણ અટકાવે છે અને ડાળીઓનાં પાન વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
* વૃક્ષો કદી વૃદ્ધ થઇને મરતાં નથી મોટે ભાગે જાનવરો, જંતુઓ, કુદરતી હોનારત કે માણસો દ્વારા તેનું નિકંદન નીકળે છે.
* ભારતમાં વૃક્ષોની સૌથી વધુ જાતો જોવા મળે છે.
* વૃક્ષો પોતાનો ૯૦ ટકા ખોરાક વાતાવરણ અને સૂર્યપ્રકાશમાંથી મેળવે છે. બાકીનો ૧૦ ટકા જમીનમાંથી મૂળ દ્વારા શોષીને મેળવે છે.
* નેબ્રાસ્કામાં લોકોએ બે લાખ એકરમાં વૃક્ષો વાવી કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે.
* વૃક્ષોના થડના આડા છેદમાં રિંગ જેવી રચના હોય છે. તેનો અભ્યાસ કરી વિજ્ઞાાનીઓ હવામાનના ઇતિહાસની સાબિતી મેળવી શકે છે.
* પાણીમાં થતા કેટલાક છોડ આસપાસના પાણીમાં ઓક્સિજન ભેળવે છે.

No comments:

Post a Comment